President Message

શ્રી ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ સેવા મંડળ ના પ્રમુખ તરીકે મારી સર્વાનુમતે વરણી કરવા માટે સહુ કારોબારી સમિતિ ના સભ્યો નો આભાર.
હું સમિતિ સભ્યો ના સહકાર અને ટ્રસ્ટીઓ ના માર્ગદર્શન થી મારી યથા યોગ્ય સમજ દ્વારા જ્ઞાતિજનો પ્રત્યેની ફરજ નિભાવી મંડળની પ્રતિભા વધે અને સૌ ની આકાંક્ષા ફળી ભૂત થાય તેવા પ્રયત્ન કરીશ.


૮૦જી નું પ્રમાણપત્ર મંડળને મળી ગયું હોય, જેના થકી દાતાઓને ટેક્સ ભરવા માં રાહત મળી શકશે. આ સુવિધાનો ઉપયોગ કરી દાતાઓ ભંડોળ વધારવા આગળ આવશે તેવી અપેક્ષા છે, જેના થકી સહાયો સરળતાથી આપી શકાય.

ગત પ્રમુખ શ્રી નવનીતભાઈ ની અચાનક ચિરવિદાયથી જે કાર્યો અધૂરા છે તેને પૂર્ણ કરવા પ્રાથમિકતા આપશું.
જ્ઞાતિજનોના સક્રિય સાથ સહકાર ની અપેક્ષા સહ.

- રીતુ સમીર જાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *